
યજ્ઞની સાક્ષીએ અને સપ્તપદીના મધુર મંત્રોચ્ચાર વચ્ચે સંપન્ન થતા લગ્ન ને જીવનભર નિભાવવા માટે પ્રેમ અને સહનશીલતા બંને પરિબળોની ડગલેને પગલે હાજરી હોવી જરૂરી છે. આ બંને તત્વોની ગેરહાજરીમાં લગ્ન માત્ર સામાજીક મોભો જાળવવા માટેનું આડંબર બની રહે છે. એક લગ્ન માત્ર સામાજીક મોભો જાળવવા માટેનું આડંબર બની રહે છે. એક લગ્નનો અર્થ માત્ર ભોગ વિલાસ કે વંશવૃધ્ધિ જ નથી, સ્ત્રી, પુરૂષે ડગલેને પગલે એક બીજા સાથે સહકાર કેળવવો, હૂંફ આપવી, નબળી ક્ષણે પણ સાથ નિભાવવો, બાળકોનો તંદુરસ્ત વિકાસ, તેનું શિક્ષણ વગેરે સાથે કુટુંબ વ્યવસ્થાનો મૂળ આધાર બનવો વગેરે પણ છે, અને તેથી જ આપણા શાસ્ત્રોએ લગ્ન ને એક સંસ્થાનું સ્વરૂપ આપ્યું, સંસ્થા એટલે જ સુવ્યવસ્થિ ગઠન જયાં સૌને વિકાસની તક મળી રહે, અને આ માટે સપ્તપદી વચનોનું નિર્માણ થયું. પુરાણકાળમાં લગ્ન કરવા માટે પણ મંજુરીની જરૂરી પડતી ગમેતેવા લગ્નો સમાજ માટે નુકશાનકારક નિવડશે તેમ મનાતુ આથી, તપસ્વી ઋષિઓના આશ્રમમાંથી સારા-શિક્ષીત યુવાનો તેમજ યુવતી જેઓ માનસિક રીતે તેમજ શારીરિક રીતે યોગ્ય હોય, વિચારશીલ હોય અને ઋષિની આજ્ઞા હોય તો તેઓ લગ્ન બંધનમાં બંધાતા, અને તેઓનું લગ્નજીવન ખરા અર્થમાં અર્થસભર બની રહેતું. લગ્ન સંસ્થાના નિયમ મુજબ સ્ત્રી પોતાના પતિને ઘેર જાય છે, અને ત્યાંના વાતાવરણમાં સુમેળ સાધી સમાયોજના ગોઠવવાનું હોય છે. આથી લગ્નને સ્ત્રી પ્રધાન ગણવામાં આવેલ છે. અર્થાત તેમાં સ્ત્રીનો ફાળો મુખ્ય હોય. ત્યાં તેણે દૂધમાં સાકર ભળે તેમ ભળવાનું હોય છે. સાકર ભલે ભૌતિરૂપે દૂધમાં દેખાતી ન હોય છતાં દૂધના દરેક ઘૂંટડામાં તેનું અસ્તિત્વ જણાય છે જ. સ્ત્રી શક્તિ છે. પરંતુ અદશ્ય શક્તિ છે. પુરૂષના જીવન ઉપર તેની અસર સતત વર્તાય છે. પુરૂષના હસતા ચહેરા પછળ પણ તેની પત્નિનો ફાળો હોય છે. તેના દરેક કાર્ય પાછળ સ્ત્રી શક્તિ અદશ્ય રીતે કામ કરતી હોય છે. તેના દરેક કાર્ય પાછળ સ્ત્રી શક્તિ અદશ્ય રીતે કામ કરતી હોય છે. એટલે જ દરેક સફળ પુરૂષ પાછળ તેની પત્નિનો હાથ હોય છે. તો એ ઉક્તિ જાણીતી છે.
આજે માત્ર ભારતમાં જ નહિ વૈશ્વિકસ્તરે પણ વ્યક્તિ સ્વાતંત્ર્યનો વાયરો ફૂંકાઈ રહ્યો છે, અને પુરૂષની ચૂંગલમાંથી સ્ત્રીઓને છોડાવવાની તેને મુક્ત કરવાની વાતો જોરશોરથી થઈ રહી છે, સ્ત્રી સમાનતાના ગાણા ગવાઈ રહ્યા છે. આવા પ્રચારમાં ભોળવાયેલી ઘણી સ્ત્રીઓ ઘર અને ધરતી બહાર એક યંત્રની માફક દોડવા લાગી છે. કથિત સ્ત્રી સ્વાતંત્ર્યમાં તો પુરૂષોને જે કમાવાની જવાબદારી હતી તેમાં પણ સ્ત્રી હિસ્સેદાર બનવા લાગી અને ઘરમાં તેને જે કંઇ નિરાંતનો સમય મળતો તે પણ ગયો, સરવાળે પુરૂષ જ ફાયદામાં રહ્યો મનુસ્મૃતિમાં સ્ત્રીઓને સ્વતંત્રતા ન હોવી જોઈએ તેને સ્ત્રી વિરોધી ગણવામાં આવે છે, ખરેખર તો તે વસ્તુ આર્થિક સ્વાતંત્ર્ય વિશે છે. પુરૂષ આર્થિક ઉપાર્જન કરવાની કે કમાવાની જવાબદારી નિભાવે અને કમાઈને તેનો તમામ હિસાબ પત્નિને સોંપે, પત્નિ ઘર ચલાવે, પુરૂષને પૈસાની જરૂર પડે તો પણ તેની પસે જ માંગે, આતો એક આર્દશ વ્યવસ્થા થઈ અને તે જ કારણે પુરૂષની પત્નિને ગૃહલક્ષ્મી કહેવામાં આવે છે.
પતિ-પત્નિ તરીકે જોડાયેલા સ્ત્રી-પુરૂષ વચ્ચેના સંબંધોમાં પ્રેમ અને લાગણીની સતત હૂંફ હોય, એકબીજામાં શ્રધ્ધા-વિશ્વાસનો મધુર ભાવ સતત ઝગમગતો હોય, બંને વચ્ચે અવિશ્વાસની જરાપણ છાંટ ન હોય તેવા લગ્નો વગડામાં ખીલેલા ફૂલની માફક સતત મહેંકતા હોય છે, આવા લગ્નો માત્ર ભૌતિક લગ્નો બની ન રહેતા આધ્યાત્મિક લગ્નોમાં પરિવતિર્ત પામે છે. જેને ખુદ ઈશ્વર પણ પસંદ કરે છે.