
હાલના સમયમાં જમીનની અછતના કારણે ટુંકી જગ્યામાં બહુમાળી મકાન બનાવવામાં આવે છે. સામાન્યતઃ મધ્યમ વર્ગીય લોકો ડુપ્લેક્ષ મકાન પસંદ કરતા હોય છે. આમ જોઈએ તો આ મુજબના મકાનમાં દાદર મુખ્ય ભૂમિકામાં આવી જાય છે. મેઈન ગેઈટથી પ્રવેશ કર્યા બાદ ફળિયામાં જ દાદર ગોઠવાય છે, અથવા તો ડ્રોઈંગ રૂમ કે પેસેજમાંથી દાદર ગોઠવવામાં આવે છે. હાલના સમયમાં દાદર માટે વિવિધ પ્રકારનું મટીરિય ઉપલબ્ધ હોય છે. તેથી સાદા દાદરથી લઈને ફેન્સિ પ્રકારના દાદરનું નિર્માણ કરી શકાય છે. આપણા શાસ્ત્રમાં દાદર માટેના કેટલાક સ્પષ્ટ નિર્દેશો આપેલા છે. તે મુજબ દાદરનું નિર્માણ કરવામાં આવે તો સુખ શાંતિ સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે.
મેઈન ગેઈટથી કે મકાનમાં પ્રવેશ્યા બાદ દાદર જમણી બાજુએ શરૂ થાય તે શુભ છે. સીડીને મકાનના પશ્ચિમ, દક્ષિણ કે નૈઋત્ય કોણમાં બનાવવી હિતાવહ છે. દાદરો એ વજનદાર સ્થાપત્ય હોય તેને આ દિશાઓ અનુકુળ આવે છે. દાદર ચડવાની શરૂઆત ઉત્તર કે પૂર્વ તરફથી થાય તો તે શુભ છે. વળી, આ ચઢાણ ઘડીયાળના કાંટા ચાલે તે રીતે કે કલોકવાઈઝ હોવું જોઈએ એન્ટિ-? કલોક વાઈઝ એટલે કે ઘડીયાળથી વિરૂદ્ધ દિશામાં ચઢાણવાળો દાદરો નકારાત્મક અસર આપનાર છે. દાદરો ઘરની અંદરથી જ બનાવવો હોય તો એ વાતનો ખ્યાલ રહે કે તે બિલકુલ મુખ્ય પર્વેશદ્વારની સામે ન આવે. વળી, દાદરના પગથીયાની સંખ્યામાં શૂન્ય ન આવવું જોઈએ. દા.ત. દાદરના પગથીયાની સંખ્યા ૧૦, ૨૦, ૩૦ ન હોવો જોઈએ આવી શૂખ્ય વાળી સંખ્યામાં પગથીયા હોવાથી અકસ્માતની સંભાવના વધે છે. સામાન્યતઃ દાદરના પગથીયાની સંખ્યા એકી રાખવી.
દાદરનો નીચેનો ભાગ કોઈ વિશેષ ઉપયોગ માટે ન લેવો આ ભાગનો ઉપયોગ માત્ર નકામી ચીજવસ્તુ કે સાવરણી વગેરે સાચવવા માટે કરવો.
અગાઉ જોઈ ગયા તેમ જો ઘરની અંદર જ દાદર બનાવવાનો હોય તો એ ખ્યાલ રાખવો જરૂરી છે કે, મકાનનો બ્રહ્મભાગ દાદરથી દબાવો ન જોઈએ, દાદરને ઈશાન ખૂણે કદાપિ ન બનાવવો ઈશાન કોણ પવિત્ર વસ્તુઓ માટે તથા શુભ સારી હળવી ચીજો માટે છે. વળી દાદરની નીચે પૂજાઘર ન બનાવવું જોઈએ, આ ઉપરાંત દાદ નીચે મોંઘી? ચીજો ન સાચવવી જોઈએ તથા ત્યાં કબાટ વગેરે ન બનાવવા જોઈએ.
દાદર, સીધા, અર્ધાવર્ત, પ્રતિવર્તી, દ્વિશાખી, સર્પિલ વગેરે સ્વરૂપમાં જોવા મળે છે પરંતુ બને ત્યાં સુધી દાદરને સરળ તથા સુલભ બનાવવો જોઈએ, દાદરમાં સર્પાકાર દાદર તથા દ્વિશાખી દાદર ટાળવો જોઈએ.
મેઈન ગેઈટ તથા દાદર વિશે સમજુતી મેળવ્યા બાદ ગૃહનિર્માણની કેટલીક અન્ય બાબત વિશે આપણે ચર્ચા કરીએ તો પ્રથમ તો હાલના નિર્માણમાં ઉંબરાનું ચલણ ઘટ્યું છે. જે યોગ્ય નથીઉ ઉંબરો એ આપણા ઘરની ઓળખ છે. અગાઉના સમયમાં મકાન બનાવવા માટે પવિત્ર વૃક્ષના લાકડાનો ઉપયોગ થતો તથા ઉંબરો પણ લાકડાનો બનેલો હતો, આપણે સમજવું જોઈએ કે વૃક્ષ દરેક રીતે હકારાત્મક તરંગો લાવનાર છે અને એટલે જ આપણે લાકડાના બનાવેલા ઉંબરાનું પુજન પણ કરીએ છીએ. ઉંબરો જંતુ જનાવરથી ઘરનું રક્ષણ કરે છે. આપણા ઋષિમુનીઓએ ઉંબરાને ઘરનો રક્ષક કહ્યો છે. વળી ઘરની સ્ત્રી માટે ઉંબરો એક મર્યાદાનું પ્રતિક છે. આ ઉંબરાને વાસ્તુ નિર્માણમાં અવશ્ય સ્થાન આપવું જોઈએ ઘરનું મુખ્ય દ્વાર ચારે ખુણે ૯૦ અંશનું રહે તે રીતે બનાવવું તથા લાકડાનો ઉંબરો અવશ્ય મૂકવો.
હાલના સમયમાં રક્ષણ માટે લોખંડની જાળી, કોલીપ્સીબલ જાળી વગેરે મૂકવામાં આવે છે. વાસ્તુમાં આ ચીજો મૂકવામાં તકલીફ નથી પરંતુ આ જાળી મૂકવા માટે ઉંબરાનું હનન ન થવું જોઈએ, વળી જાળી તથા દરવાજાને એ રીતે મુકવા જોઈએ જેથી આસોપાલવનું તોરણ બાંધવામાં કોઈ અગવડ ન પડે મુખ્ય દરવાજા પર ગણેશજીની પ્રતિમા લાભ શુભ તથા સાથિયો શુભ ચિહન તરીકે મૂકી શકાય. જે ઘરના પ્રવેશદ્વાર દ્વાર ખોલતાની સાથે જ હવા ઉજાસનો માહૌલ સર્જાય તથા પક્ષીનો કલરવ સાંભળવા મળે તે ઘર રહેવા માટે તે ઘર રહેવા માટે શ્રેષ્ઠ ગણાય.