હોમ
કહેવતોમાં આરોગ્ય
-
ફરે તે ચરે ને બાંધ્યું ભૂખે મરે.ચેતતો નર સદા સુખી.અન્ન એવો ઓડકાર.કજિયાનું મૂળ હાંસી ને રોગનું મૂળ ખાંસી.કડવું ઓસડ મા જ પાય.જાગ્યા ત્યારથી સવાર.જેટલા ભોગ તેટલા રોગ.જ્યાં સુધી ઘાસ ત્યાં સુધી આશ.દુ:ખનું ઓસડ દહાડા.ધીરજના ફળ મીઠાં.પહેલું સુખ તે જાતે નર્યા.મન ચંગા તો કથરોટમેં ગંગા.વાવે તેવું લણે.જોશીના પાટલે ને વૈદ્યના ખાટલે.અન્ન તેવું મન, પાણી તેવી વાણી.અન્ન પારકું છે પણ પેટ કંઈ પારકું નથી.અલ્પાહારી સદા સુખી.ઓકી દાતણ જે કરે, નરણે હરડે ખાયં,દૂધે વાળુ જે કરે, તે ઘર વૈદ્ય ન જાય.ઊંઘ અને આહાર વધાર્યાં વધે ને ઘટાડ્યાં ઘટે.કેળાં માગે એલચી ને કેરી માંગે સૂંઠ.ખાટી છાશ ઉકરડે જ ઢોળાય.કુણી કુણી કાકડી ને ભાદરવાની છાશ, તાવ સંદેશો મોકલે, આજ આવું કે કાલ.ખાવામાં ન જુવે તે વ્હેલો ખાટ સુવે.ગળ્યું જે નિત્ય ખાય તે વૈદ્ય પાસે જરૂર જાય.ઘઉંની કણક જેમ કેળવો તેમ કેળવાય.ઘેર દુજણું ને લુખું ખાય, એવો કોણ મૂરખ રાય.ઘણીય ભૂખ લાગે પણ તેથી કંઈ બે હાથે ખવાય?જાન બચી લાખો પયા.થોડા ખાના, ખૂબીસે રહના.દૂધ, પૌઆ ને ખીચડી ને ઉપર ખાધું દહીં,તાવે સંદેશો મોકલ્યો, જો ખાટલો પાથર્યો કે નહીં.દૂધ, સાકર ને એલચી, વરીઆળી ને દ્રાક્ષ, જો કંઠનો ખપ હોય તો પાંચેય વસ્તુ રાખ.પેટને પૂછીને ખાવું, જીભને નહીં.બેઠું ખાય તે એઠું ખાય.ભાવે તેટલું ખાવું નહીં ને આવડે તેટલું લખવું નહીં.બાજરી કહે હું બલિહારી, લાંબા લાંબા પાન;ઘોડા ખાય તો ગઢ પડે, બુઢ્ઢા થાય જવાન.મગ કહે મારો કાળો દાણો, મારે માથે ચાંદુ;બે ચાર મહિના મને ખાય, તો માણસ ઊઠાડું માંદુ.રોગ આવે ઘોડા વેગે ને જાય કીડી વેગે.રોગ ને શત્રુ ઉગતા જ ડામવા.સાજા ખાય અન્ન ને માંદા ખાય ધન.સો દવા ને એક હવા.સૂંઠ, સંચળ ને કાચકો, જે ખાય તેને ન આવે આંચકો.હીંગ, મરચું ને આંબલી, સોપારી ને તેલ; જો ગાવાનો ખપ હોય તો પાંચેય વસ્તુ મેલ.થોડું ખાઈએ તો સુખ ઉપજે, વધુ ડૉકટર લઈ જાય.આંખે પાણી, દાંતે લુણ; પેટ ન ભરીએ ચારે ખૂણ.અલ્પાહાર એ હંમેશનો અપવાસ છે.રાત્રે વહેલા જે સૂવે,વહેલા ઉઠે વીર,બળ બુદ્ધિને ધન વધે,સુખમાં રહે શરીર.
સંબંધિત આર્ટીકલ
-
Copyrights © 2008 Gurjari.net - All rights Reserved