હોમ
નાનજી કાલિદાસ મહેતા
-
કર્મનિષ્ઠ ઉદારચરિત ઉદ્યોગપતિ નાનજી કાલિદાસ મહેતાનો જન્મ જામનગર પાસેના એક ગામાડામાં ઈ. ૧૮૮૭માં થયો હતો. બાર વર્ષના કિશોરે દેશી વહાણમાં આફ્રિકાની સફર કરી. વચ્ચે થોડો સમય દેશમાં આવ્યા પણ ફરી ચાર વર્ષે યુગાન્ડા પહોંચ્યા. પહેલા નોકરી કરીને અને સાથે આછો-પાતળો વેપાર કરતાં ધીમે ધીમે વેપાર જમાવ્યો. પહેલા જિનીંગ ફેકટરીઓ ઊભી કરી અને પછી ખાંડનું કારખાનું સ્થાપ્યું. આફ્રિકાની ધરતી પર નાનજીભાઈએ સંખ્યાબંધ નવા ઉદ્યોગો વિકસાવ્યા. તેઓ માત્ર સંપત્તિ કમાઈ જાણ્યા નહીં પરંતુ સમાજ પાસેથી મળેલું ધન સમાજને પાછું આપવામાં પણ તેમણે પાછું વાળીને જોયું નથી. આક્રિકા અને ભારતમાં લગભગ એમણે બે કરોડનું દાન કર્યું. પોરબંદરમાં આર્ય કન્યા ગુરૂકુળ અને મહિલા કોલેજ સ્થાપી દેશની દેશની મહિલાઓની અપ્રતિમ સેવા બજાવી છે. ઉપરાંત મહાત્મા ગાંધી કીર્તીમંદિર, જવાહરલાલ પ્લેનેટોરિયમ, ભારત મંદિર, મહર્ષિ વિજ્ઞાન મહાવિદ્યાલયની સ્થાપના તેમજ અનેક લોકોપયોગી કાર્યો કર્યા. બ્રિટીશ સરકારે ‘એમ.બી.ઈ’નો ખિતાબ, પોરબંદર રાજ્યે ‘રાજ્યરત્ન’નો ઈલકાબ અને નવાનગર સંસ્થાએ ‘ઓર્ડર ઓફ મેરિટ’ નું બહુમાન અર્પણ કરેલ. અઢળક સંપતિ વચ્ચે પણ એમણે અંગત જીવનમાં ગૌરવપૂર્ણ સાદાઈની જ પ્રતિષ્ઠા કરી હતી. શ્રી નાનજીભાઈ ૮૨ વર્ષની પાકટ વયે તા. ૧૬-૮-૧૯૬૯ના રોજ ચિરવિદાય લીધી.
સંબંધિત આર્ટીકલ
-
Copyrights © 2008 Gurjari.net - All rights Reserved