હોમ
વર્ષાઋતુનો શ્રાપ – મરડાનો હુમલો
-
વર્ષાઋતુનો શ્રાપ – મરડાનો હુમલો
વર્ષાઋતુમાં સૌંદર્ય માણવું તે જિંદગીની ઉત્તમ પળ છે. ઘણાં કવિઓ, તેમની ઉત્કૃષ્ટ કાવ્ય રચના વર્ષાઋતુ દરમિયાન કરે છે.
આછાં વાદળવાળું આકાશ, ઝરમર વરસાદ, લહેરાતાં લીલાછમ વૃક્ષ – છોડ અને પાંદડા, ભીની માટીની સુગંધ વગેરે દરેક વ્યક્તિને આનંદદાયક લાગે છે. કેટલાક લોકો એવા પણ છે જેમની આંખને વર્ષાઋતુનું કુદરતી સૌંદર્ય ગમે છે પરંતુ તેમના પેટને કારણે આ કુદરતી સૌંદર્ય માણી શકતા નથી. વર્ષાઋતુના આગમન સાથે એક નાનો રોગ શરૂ થાય છે જે છે મરડો. મેડીકલ ભાષામાં અમીબીયાસીસ કે અમીબીક ડીસેન્ટ્રઈ નામે ઓળખાય છે.
આ પેટના દર્દમાં સૌથી પહેલા માનસિક થાક – બેચેની લાગે છે. કામ કરવાનું મન થાય નહીં, પછી કરીશું તેમ વિચાર આવે, તે સાથે પેટમાં ગુડ ગુડ કે ધીમી ચૂંક આવે અને દિવસના બે થી ત્રણ પાતળા ચીકાશવાળા ઝાડા થાય. કેટલીક વાર થોડા દિવસ ઝાડા પછી થોડા દિવસ માટે કબજીયાત રહે. પછી પાછાં ફરીથી ઝાડા શરૂ થાય. ઝાડામાં ચિકાશ અને વિચિત્ર વાસ આવવાનું ચાલુ રહે.
ખોરાકની અરુચિ, ભૂખ ન લાગવી, ગેસ, એસીડીટી થવી તે વધારાના લક્ષણો છે. કેટલાક દર્દીને ધીમો તાવ કે શરીર ગરમ રહેતું હોય તેવો અનુભવ થાય છે અને વારંવાર ઝાડા થતા હોવાને કારણે પાઈલ્સ કે હરસ થવાની શક્યતા રહેતી હોય છે.
ઉપર જણાવેલી આટલી બધી તકલીફ સાથે દર્દીમાં શિથિલતા આવી જાય છે. કામકાજ કરવાનું મન ન થાય અને આ દર્દમાંથી કેવી રીતે કાયમી મુક્ત થવું એ સમજ પડતી નથી. કારણ કે વારંવાર ઉથલો મારવો તે આ રોગની ખાસિયત છે.
મરડાની વિલાયતી દવાનો વારંવાર કોર્સ કરવાથી અસીડીટી પણ થતી હોય છે. જો આ રોગની યોગ્ય સારવાર ન લેવામાં આવે તો તેને કારણે લીવરમાં પરૂ થવાની શક્યતા રહે છે તે સાથે પેટમાં સોજો, કમળો, ડીપ્રેશન વગેરે થવાની શક્યતા રહે છે. આ રોગનું નિદાન સાદા સ્ટુલ ટેસ્ટથી થઈ શકે છે. સ્ટુલ ટેસ્ટમાં ઈ હીસ્ટોલાયટીકા નામના જીવાણું જોવા મળે છે. આ જટીલ રોગની સરળ સારવાર હોમીયોપેથિક વિજ્ઞાન પાસે છે. મરડો ન થાય તે માટે કેટલાક સૂચનો :
* બહારનો ખોરાક ન લેવો
* પાણી ઉકાળીને પીવું
* બ્રેડ, મેંદો, મીઠાઈ વગેરે પવામાં ભારે ખોરાક ન લેવો.
* મોડી રાતે જમવું નહીં.
વર્ષાઋતુના શ્રાપને હોમિયોપેથીક દવા દ્વારા આશિર્વાદમાં બદલી શકાય છે અને વર્ષોના વર્ષો સુધી ચાલતા મરડાનો સુખદ અંત આવી શકે છે.
સંબંધિત આર્ટીકલ
-
Copyrights © 2008 Gurjari.net - All rights Reserved. - Powered by
Gujaraticontent.com