હોમ
જમશેદજી તાતા
-
ભારતના અર્વાચીન ઉદ્યોગોના પ્રણેતા, આદ્યપિતા જમશેદજી તાતાનો જન્મ નવસારીમાં ઈ.સ. ૧૮૩૯માં થયો હતો. જમશેદજી સ્વતંત્ર મિજાજના મહત્વાકાંશી યુવક હતા. દાદાભાઈએ તેમનામાં રાષ્ટ્રિયતાની ભાવના સીંચી હતી. ચીલાચાલુ વ્યવસાયમાંથી ફંટાઈને નવું કરવાની તેમને તમન્ના હતી. કોલેજ અભ્યાસ પછી પિતાની સાથે વેપારમાં જોડાવાની ફરજ પડતાં કોલેજ છોડી નાગપુરમાં અમ્પ્રેસ મિલ નાંખીને ઊંચી કક્ષાનું વ્યવસ્થાતંત્ર, મિલકામદારોનું કલ્યાણ એ બાબતોને તેમને દેશ-વિદેશમાં અદભુત સફળતા અપાવી. ભારતમાં ટેક્ષટાઈલ ઉદ્યોગનું આધુનિકરણ એ જમશેદજી તાતાને આભારી છે. એ જ રીતે ઊંચી ઈમારતો તથા તાજમહેલ હોટલ દ્વારા મુંબઈની રોનક વધારવા માટે અથાક પ્રયાસો તેમણે કર્યાં. મુંબઈને તેમણે વિશ્વપ્રવાસીઓના નકશા પર મૂકી આપ્યું. અર્વાચીન ભારતના ઔદ્યોગિક નવનિર્માણના આદ્ય ધુરંધર શ્રી જમશેદજી તાતાને ગણવા જોઈએ. તાતા માત્ર એક ધનાઢય ઉદ્યોગપતિ જ હોત તો એમનું સ્મરણ અને સ્થાન આજે ભારતના ઈતિહાસમાં છે તેવું આદરણીય ન હોત પણ તેમણે માત્ર ઉદ્યોગો જ નથી સ્થાપ્યો, એમણે ભારતને ઔદ્યોગિક દ્રષ્ટિ આપી, ઔદ્યોગિક ક્રાંતિ આપી. સ્વામી વિવેકાનંદ પાસેથી પ્રેરણા મેળવનારને ‘સર’ ના શાહી ઈલકાબનો ત્યાગકરનાર આ કર્મવીર અર્વાચીન ભારતના ઘડવૈયાઓમાં એક ગણાય છે. ભારતમાં ઉદ્યોગ સ્થાપવાનું કામ ચાલતું હતું પરંતુ તે સ્વપ્ન સાકાર થાય તે પહેલાં ૧૯-૫-૧૯૦૪ના રોજ જર્મનીમાં તેમનું અવસાન થયું.
સંબંધિત આર્ટીકલ
-
Copyrights © 2008 Gurjari.net - All rights Reserved. - Powered by
Gujaraticontent.com