તબીબી ક્ષેત્રે દરરોજ નીતનવા સંસોધનો થતા રહે છે. તેમજ નવા ઉપકરણો ઓપરેશન માટે શોધાતા હોય છે. આજે એવા ઘણા ઓપરેશન થાય છે કે જેમાં શરીરમાં કાપા મૂકવાની જરૂરિયાત રહેતી નથી. આંખના ઓપરેશનો જેવા કે મોતીયા વગેરે થોડી મિનિટોમાં થઇ જાય છે. અગાઉ એક માસ સુધી પાટા બાંધી રાખવા પડતાં, એ જ રીતે પેટ, આંતરડા, પથરી વગેરે ઓપરેશન સરળ બન્યા છે. ઉપરાંત શીતળા જેવા ભયંકર રોગને નાબૂદ કરી શકાયો છે. એ જ રીતે પોલિયો રોગ નાબૂદ કરવાના પ્રયાસો ચાલુ છે. કેન્સર, ડાયાબિટીસ, બ્લડપ્રેસર, એઇડસ, મેલેરિયા તેમજ થેલેસેમિયા, હિમોફિલિયાને કેટલાક આનુવંશિક રોગોના પ્રતિકાર માટેના સંસોધનો ચાલે છે. જીનોમ પ્રોજેક્ટને સફળતા મળતા હવે આનુવંશિક રોગોને નાબૂદ કરવામાં સફળતા મળશે તેવું તબીબી વિજ્ઞાન માને છે. આજે સ્ટેમશેલ ઉપર ખૂબ જ સંશોઘનો ચાલે છે તે ઉપરાંત બાયોટેકનોલોજી અને જીનેટીક એન્જીનિયરીંગનો વિકાસ થઇ રહેલ છે.
જીન ટેકનોલોજી ખુબ જ રસદાયક અને નવીનત્તમ સંશોધન કરનારા વૈજ્ઞાનિકોની ત્રિપુટીને ૨૦૦૭ના શરીરશાસ્ત્ર તેમજ ઔષધશાસ્ત્રનો નોબેલ પુરસ્કાર આપવામાં આવેલ છે. તેમાં સૌ પ્રથમ ૭૦ વર્ષના વૈજ્ઞાનિક મારિઓ આર. કેપચી જેઓ હાવર્ડ અને હ્યુજીસ મેડિકલ ઇન્સ્ટિટ્યુટ અને યુનિવર્સિટી ઓફ યુટાર અમેરિકાના છે તો બીજી યુનાઇટેડ કિંગ્ડમની કાર્ડિફ યુનિવર્સિટીના સર માર્ટિન જે. ઇન્વાસ છે તેઓ ૬૬ વર્ષના છે. ત્રીજા વૈજ્ઞાનિક ૮૨ વર્ષના ઓલિવર સ્મિથિસીઝે છે તેઓ અમેરિકા ખાતે આવેલી નોર્થ કેરોલીન ચેપલ રીલમાં સંશોધન કરે છે. આ ત્રણેએ ઉંદરમાં ગર્ભાસયના સ્ટેમશેલની અલગ પ્રકારની ટેકનોલોજીનો ઉપયોગ કરી એક નવા પ્રકારની જાત ઉત્પન્ન કરી. છેલ્લા ૨૦ વર્ષથી આ ક્ષેત્રે થતા સંશોધનમાં એક નવી જ દિશા કંડારી છે. આજ ત્રિપુટીને ૨૦૦૧માં લશ્કર પાઇઝે જીવ વિજ્ઞાનનો પુરસ્કાર એનાયત કરવામાં આવેલ છે. આ સંશોધન કાર્યને જીન ટાર્ગેટીંગ ઇન માઇઝ તરીકે ઓળખવામાં આવે છે. ઉંદરને ધ્યાનમાં રાખી નિશ્ર્વિત જીનને ટાર્ગેટ બનાવી એક નવીન જાત વિકસીત કરવાની એક નવી ટેકનોલોજી વિકસાવી છે.
આપણા શરીરમાં ડીએનએ એટલે કે ડિઓકિસરી બોન્યુકિલઇક એસિડ હોય છે. તેનું બંધારણ કુંતલ-શીળી જેવું હોય છે. તેમાં દશ જોડ ન્યુકિઓટાઇડ આવેલા છે. આ ડીએનએમાં નાઇટ્રોજન બેઇઝ રહેલા હોય છે તેમજ તેના કેન્દ્રોમાં હરીતકણો અને કણાભસૂત્રો જેને આપણા શરીર પાવર હાઉસ તરીકે ઓળખવામાં આવે છે તે આદેશ દાતા છે તેમજ આનુવંશિક લક્ષણો માટે જવાબદાર છે.
એ જ રીતે શરીરમાં આરએનએ એટલે કે રિબોન્યુકિલઇક એસિડ તેમાં થાઇએમિન પ્રકારના નાઇટ્રોજન બેઇઝ હોતા નથી તે રિબોઝ શર્કરા ધરાવે છે. તેમાં કોષરસ તેમજ રિબોઝોમ્સ રહેલા હોય છે તે આદેશ નુ પાલન કરે છે તેમજ પ્રોટીનનું સંશ્ર્લેષણ કરે છે.
દરેક ડીએનએમાં જનીન રહેલા હોય છે. એ જ રીતે ઉંદર માં અભ્યાસ કરવામાં આવ્યો તેના જીનોમનો અભ્યાસ કરતાં જણાયું કે તેમાંથી જીન કાઢી અથવા ઉમેરી શકાય એટલે દાખલ કરી શકાય છે. આવા ફેરફાર કરેલા ઉંદરને નોક-આઉટ અને નોકઇન કહેવાય છે. એટલે કે ઉંદરમાં ખાસ પ્રકારના નિશ્ચિત કરેલા જીનોમમાં જીન કાઢી અથવા ઉમેરી શકાય છે. તેની અસરો શું થાય છે તે જાણીને અમુક રોગ પ્રતિકાર થઇ શકે તેમજ સ્વાસ્થ્ય જાળવી શકાય. ઉંદરના જીનોમના અભ્યાસ પરથી માનવીના જીનોમનાં અભ્યાસ કરવામાં મદદરૂપ થાય છે. આ માટેના અભ્યાસ માટે અમેરિકાની લેક્ષીસીઅન ફાર્માસ્યુટિકલને લાયસન્સ આપવમાં આવ્યું છે. આ ઉપરાંત વિવિધ દેશોમાં ઉંદરના જીનમાંથી અમુક જીન દૂર કરી જેને નોક આઉટ કહે છે તેના અભ્યાસ પેટન્ટ આપવામાં આવી છે. પ્રાણીઓમાં ૨૦૦૦૦ જીન્સ રહેલા છે. ૧૯૮૯માં નોક-આઉટ ઉંદરની જાત ઘણી વિકસાવવામાં આવેલી. ગર્ભમાંથી મેળવેલા ખાસ પ્રકારના જીન ગર્ભાશયનો કઇ રીતે વિકાસ કરે છે તેના અભ્યાસ ઉંદરમાં કરવામાં આવ્યો. તેના દ્વારા જે નવી જાતી ઉંદરની ઉત્પન્ન થઇ તેને નોક-આઉટ ટેકનોલોજી અથવા જીન ટેકનોલોજી તરીકે ઓળખવામાં આવે છે. માનવીની ખામીઓ દૂર કરવા માટે આ પ્રકારે વિવિધ ૫૦૦ ઉંદર તૈયાર કરવામાં આવ્યા છે. જેના દ્વારા હૃદયરોગો, ડાયાબટીસ તેમજ મગજના રોગોની જાણકારી માટે ઉપયોગ કરવામાં આવશે.
આવા પ્રકારની જીનેટીક ઘટનાને સમાંગ ફરી ભેગું કરવું તેમ કહેવામાં આવે છે. જેમાં એકસરખા જીન ભેગા કરી તેનો ઉછેર કરવામાં આવે છે. ઇ.સ. ૧૯૫૮ બેકટેરીયામાં આ પ્રકારની ઘટનાનું નિર્દેશન જોસૌ લેડબર્ગે કરેલું. આ માટે તેમને નોબેલ પુરસ્કાર પણ આપવામાં આવેલ. પરંતુ ડીએનએ અને રંગસૂત્રની મદદથી સમાંગ જીનમાં ફેરફાર કરી વિવિધ જાતીઓ ઉત્પન કરી શકાય છે. ઉપરાંત તેવા જ પ્રકાર ની ઉત્પતિ વિકસીત કરી શકાય તેમ છે.
 |
 |
 |
|
Mario R. Capecchi |
Sir Martin J. Evans |
Oliver Smithies |
૧૯૮૦ની કાપીચિ અને સ્મીથીઇઝ પ્રાણીઓના જીનોમનો અભ્યાસ કરતા હતા. પ્રાણીઓમાં ખામીવાળા જીન દૂરસ્ત કરી ફરી બીજા પ્રાણીમાં રોપણી કરી સ્વસ્થ જાતિ ઉત્પન્ન કરવા અંગેના સંસોધન કરતા રહ્યા. આખરે તેમને સફળતા મળી. તેમણે પ્રયોગશાળામાં ડીએનએ અને રંગસૂત્રો દ્વારા ઉંદરમાં આવા પ્રયોગો કર્યા તેમણે ‘‘એચબીઆરટી’’ જીન પસંદ કર્યા કારણ કે તે સહેલાઇથી ઓળખી શકાય તેમજ માનવીમાં આનુવંશિક લેસ્ચ-નીહાઇન સિડ્રોમ જોવા મળે છે તે આના માટે જવાબદાર છે. તેઓએ પ્રયોગશાળામાં ચોક્કસાઇપૂર્વક આવી ઘટના દર્શાવી. પરંતુ તેમણે પ્રાણીઓ પર આવા પ્રયોગો અત્યાર સુધી કર્યા છે અને સફળતા મેળવી છે. હજુ તેમણે ઘણું કરવાનું રહે છે કારણ કે અમેરિકાની નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ હેલ્થે કાપીચિ આ અંગેની જે અરજી કરેલી તેમાં જીન ટાગેટીંગ એટલે ખાસ નિશ્ર્વિત જીન અંગે જે પ્રમાણમાં સફળતા મળવી જોઇએ તેની તકો ઓછી હોવાથી નકારી કાઢી હતી. પરંતુ ત્યારબાદ કાપીચિ અને સ્મિથિઇઝ આ કાર્યમાં સુધારાઓ કર્યા અને તેમણે માત્ર પ્રાણીઓના કોષ માટે રજૂઆત કરી તે ઉપરાંત ઇવાન્સ આ અંગેની બીજી એક પદ્ધતિ રજૂ કરી. તેમાં તેમણે ગર્ભમાં રહેલા સ્ટેમસેલનો ઉપયોગ કર્યો. ઉંદરમાં રહેલા સ્ટેમસેલને ઉછેર બ્લાસ્ટોસાઇટમાં કર્યો ત્યારબાદ એક ટૂકડો ડીએનએ લીધો જેમાં સમાંગ જીન હતા જ્યારે તેમાં બીજો એક ટૂકડો જીનનો લીધો જેમાં ખાસ પ્રકારના જીન રહેલા હતા. જેને ટારર્ગેટ જીન કહ્યા. તે બે વચ્ચે જોડાણ કરવામાં આવ્યું જેથી ટારગેટ જીન અમુક ખાસ કોષમાં આવ્યા. ત્યારબાદ જે કોષમાં ટારગેટ જીન સાથેના હતા તેને અલગ તારવ્યા. એને ઉંદરના રહેલા બ્લાસ્ટોસાઇટમાં ઇજેકટ એટલે કે દાખલ કર્યા તેને બીજી ઉંદરડીના ગર્ભમાં રોપણ કરવામાં આવ્યું. જેને સેરોગેટ ઉંદર કહી શકાય. તેમાંથી જુદા પ્રકારના ઉંદર ઉત્પન્ન થયા જેને મોઝેઇક ઉંદર કહ્યા. જ્યારે બીજા સામાન્ય ઉંદર જેવા ઉંદર હતા. જે મોઝેઇક ઉંદર જન્મ પામ્યા તે નવા જ પ્રકારના ખાસિયત ધરાવતા ઉંદર હતા. જેને નોક-આઉટ ઉંદર તરીકે ઓળખવામાં આવ્યા. પરંતુ આખી પ્રક્રિયા તબકકાવાર રજૂ કરવામાં આવી. કાપીચિ અને સ્મિથિઇઝ સમાંગ કોષોનું ફરીવાર જોડાણ કરીને જે પદ્ધતિ દર્શાવી એવું જ ઇવાન્સે ગર્ભાસ્થા અવસ્થાના સ્ટેમસેલ દ્વારા આવી પદ્ધતિનું નિર્દેશન કર્યું. આ નવા જ પ્રકારની ટેકનોલોજી દ્વારા એક નવી જાતી ઉંદરની ઉત્પન્ન કરી. ભવિષ્યમાં આ પદ્ધતિ નિશ્ર્વિત જીન લઇને આ પ્રકારની ટેકનોલોજીનો ઉપયોગ અન્ય પ્રાણીઓમાં કરી નિશ્ર્વિત પ્રકારના પ્રાણીઓ ઉત્પન્ન કરી શકાશે. તેમણે કરેલા આ પ્રકારની સંશોધન માટે નોબેલ પુરસ્કાર આપવામાં આવ્યા છે.
ડૉ.રમેશભાઇ ભાયાણી